Geeta Jayanti Quiz | Mokshada Ekadashi | Best 25 Questions About Geeta Jayanti

techparimal news

Geeta Jayanti Quiz ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, મહિનામાં ‘માગશર’ મહિનો હું છું. આજે માગશર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી છે. મોક્ષદા એકાદશીના દિવસે દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રનાં મેદાનમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આથી, આ દિવસને ગીતા જયંતી તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા એ દ્વાપર યુગમાં રચાયેલ પ્રાચીન અને પવિત્ર ગ્રંથ છે. ગીતા હિંદુ ધર્મનો ગ્રંથ ગણાતો હોવા છતાં ફક્ત હિંદુઓ પૂરતો સીમિત ન રહેતાંં નાત-જાતના સીમાડાને પાર સમગ્ર માનવસમાજ માટેનો ગ્રંથ છે.

ભારતના બે આદિગ્રંથો પૈકીનું મહાભારત મહર્ષિ વેદવ્યાસે રચેલું છે. મહાભારત પાંડવો અને કૌરવો વચ્ચે ચાલતા સંઘર્ષ અને અંતે યુદ્ધની કથા છે. મહાભારતના યુદ્ધના પ્રથમ દિવસે પાંડવ અર્જુન પોતાના મિત્ર, માર્ગદર્શક, અને સારથી બનેલા શ્રી કૃષ્ણને રથને બન્ને સેના વચ્ચે લેવાનું કહે છે. બન્ને સેનાનું વિહંગાવલોકન કરતી વખતે અર્જુનને લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે. યુદ્ધના પરિણામોથી તે ભયભીત થઈ, યુદ્ધ ન કરવાના વિચારો કરવા લાગે છે.

Geeta Jayanti Quiz – રોચક તથ્યો

તેના હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને તે રથમાં બેસી પડે છે અને કોઈ માર્ગ ન સૂઝતાં કૃષ્ણને માર્ગદર્શન માટે પૂછે છે. ગીતા જ્ઞાન દરમિયાન એક વાર ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને પોતાના વિશ્વરૂપ દર્શન કરાવે છે. અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભીષ્મ પર્વમાં 25થી 42 સુધીના 18 અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે.

Geeta Jayanti Quiz

દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણે આજના દિવસે જ મોક્ષ આપવાવાળી ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ માટે આજનો દિવસે ગીતા જયંતી તરીકે ઉજવાય છે. આ એકાદશીને મોક્ષદા એકાદશી પણ કહે છે. જોકે તમને નહીં ખબર હોય ગીતા અંગેના આ રોચક રહસ્યો.

  • ભગવાન શ્રીકૃષ્ણે આજથી લગભગ 7 હજાર વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું.
  • ગીતાનો ઉપદેશ ભગવાને રવિવારના દિવસે આપ્યો હતો. શાસ્ત્રો મુજબ મોક્ષદા એકાદશી નિમિત્તે ગીતાની પૂજા કરવી જોઈએ. આ બાદ ગીતાનો પાઠ કરવો જોઈએ.
  • લગભગ 45 મિનિટમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનનો મોહભંગ કરી દીધો હતો.
  • ગીતામાં કુલ 18 અધ્યાય છે. શાસ્ત્રો મુજબ કોઈપણ એક અધ્યાયનો પણ જો નિયમિત પાઠ કરવામાં આવે તો મુક્તિ મળે છે.
  • ગીતામાં કુલ 700 શ્લોક કહેવામાં આવ્યા છે. પદ્મ પુરાણમાં ભગવાન કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ આપવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, ‘આ દિવસે તુલસીની મંજરી અને ધૂપ-દીપ દ્વારા ભગવાન દામોદરની પૂજા કરવી જોઈએ.’

Geeta Jayanti Quiz

  • ગીતામાં સૌથી વધુ શ્રીકૃષ્ણ બોલ્યા છે. તેમણે 574 શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે.જ્યારે અર્જુને 85 શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે. તો 41 શ્લોક એવા છે જે સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે.
  • ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય બે લોકોએ સાંભળ્યું હતું. વેદવ્યાસ પાસેથી દિવ્ય દૃષ્ટિ મેળવનાર સંજય અને સંજયના મુખેથી ધૃતરાષ્ટ્ર આ બંનેએ સાંભળ્યું હતું.
  • અર્જુન પહેલા ગીતાનું જ્ઞાન સૂર્યદેવને મળ્યું હતું.
  • ઉપનિષદ હોવાના કારણે ગીતાને ગીતોપનિષદ પણ કહેવામાં આવે છે.
  • કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણે જ્યારે ગીતાનું જ્ઞાન આપ્યું તે દિવસે હિંદુ કેલેન્ડર પ્રમાણે એકાદશી હતી. આ એકાદશીને હવે મોક્ષદા એકાદશી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તેને વૈંકુઠ એકાદશી પણ કહે છે.

Also Read :

English Grammar Test 3 – Best MCQ For TET, TAT, HTAT Exams

Educational Psychology Online Test 2 

Educational Psychology Online Test 

Geeta Jayanti Quiz

Geeta Jayanti Quiz – ગીતા જયંતી સાર

ગીતામાં અર્જુન માનવનું પ્રતિનિધિત્વ કરે છે અને માનવ તરફથી ભગવાન કૃષ્ણને જીવનને લગતા વિવિધ પ્રશ્નો કરે છે. અર્જુનની દુવિધાને દૂર કરવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ સવિસ્તાર તેને વિસ્તારપૂર્વક સમજૂતી આપે છે. ગીતામાં જીવનનું ગૂઢ જ્ઞાન ધીરે-ધીરે અર્જુનના તમામ સંશયોનું નિવારણ આવે છે અને અર્જુન યુદ્ધ માટે સજ્જ થાય છે. આથી જ કહેવાય છે કે સાચી અને પૂર્ણ શ્રદ્ધા હોય તો મનુષ્ય પોતાના તમામ પ્રશ્નોનો હલ ગીતામાંથી મેળવી શકે છે. મહાત્મા ગાંધીજી એવું કહેતા હતાં કે તેઓ શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનું અધ્યયન કરતા તો તેમને હિંમત મળતી હતી. સ્વામી વિવેકાનંદ યાત્રા કરવા નીકળ્યાં ત્યારે ગીતા સાથે રાખી હતી.

Geeta Jayanti Quiz – ૧૮ અધ્યાય

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી કદાચ શંકરાચાર્યએ અધ્યાયોને નામ આપ્યા. અમુક ભાષ્યકારોએ ગીતાને ત્રણ ભાગમાં વહેંચી છે, જે છે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ. ગીતાના અધ્યાયો અને વિભાગોના પ્રચલિત નામો નીચે મુજબ છે.

  1. અર્જુનવિષાદ યોગ (કર્મયોગમાં)
  2. સાંખ્ય યોગ (કર્મયોગમાં)
  3. કર્મ યોગ (કર્મયોગમાં)
  4. જ્ઞાનકર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)
  5. કર્મસંન્યાસ યોગ (કર્મયોગમાં)
  6. આત્મસંયમ યોગ (કર્મયોગમાં)
  7. જ્ઞાનવિજ્ઞાન યોગ (ભક્તિયોગમાં)
  8. અક્ષરબ્રહ્મ યોગ (ભક્તિયોગમાં)
  9. રાજવિધ્યારાજગુહ્ય યોગ (ભક્તિયોગમાં)
  10. વિભૂતિ યોગ (ભક્તિયોગમાં)
  11. વિશ્વરૂપદર્શન યોગ (ભક્તિયોગમાં)
  12. ભક્તિ યોગ (ભક્તિયોગમાં)
  13. ક્ષેત્રક્ષેત્રજ્ઞ યોગ (જ્ઞાનયોગમાં)
  14. ગુણત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
  15. પુરુષોત્તમ યોગ (જ્ઞાનયોગમાં)
  16. દેવાસુરસંપદ્વિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
  17. શ્રદ્ધાત્રયવિભાગ યોગ (જ્ઞાનયોગમાં)
  18. મોક્ષસંન્યાસ યોગ (જ્ઞાનયોગમાં)

Geeta Jayanti Quiz વિવિધ ભાષામાં ભાષાંતરો અને વિવેચનો.

  • શાંકરભાષ્ય શંકરાચાર્ય સંસ્કૃતભાષા
  • ૧૩મી સદીમાં સંત જ્ઞાનેશ્વરે મરાઠીમાં બધાને સમજાય તેવી ભાષામાં જ્ઞાનેશ્વરી ગીતા લખી.
  • લોકમાન્ય તિલકે ગીતારહસ્ય લખ્યું.
  • મહાત્મા ગાંધીએ અનાસક્તિયોગ – ગીતાનો ગુજરાતીમાં અનુવાદ લખ્યો.
  • સ્વામી વિવેકાનંદે ભક્તિયોગ, જ્ઞાનયોગ અને રાજયોગ પર પ્રવચન આપેલા છે.
  • રાજયોગમાં પતંજલિ યોગસૂત્ર પરના પ્રવચનો છે.
  • ૧૮મી સદીમાં વોરન હેસ્ટીંગ્સે ચાર્લ્સ વિલ્કિન્સ પાસે ભગવદ્ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો અને ૧૭૮૫માં પ્રકાશિત કર્યો. આ અનુવાદ અંગ્રેજીમાં પ્રથમ ગણાય છે.
  • ઍડવીન આર્નોલ્ડે પણ ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કર્યો તેનુ નામ છે – ધ સોંગ સેલેશીયલ
  • સ્કલેગેલે ગીતાનો લેટીનમાં અનુવાદ ૧૮૨૩માં કર્યો.
  • વૉન હમબોલ્ટે ગીતાનો જર્મનમાં અનુવાદ ૧૮૨૬માં કર્યો.
  • લેસેન્સે ગીતાનો અનુવાદ ફ્રેન્ચમાં ૧૮૪૬માં કર્યો.
  • ગાલાનોસે ગીતાનો અનુવાદ ગ્રીકમાં ૧૮૪૮માં કર્યો.
  • સરળ ગીતા – શ્રી યોગેશ્વરજી દ્વારા ભગવદ્ ગીતાનો ગુજરાતી પદ્યાનુવાદ.
  • સાધક સંજીવની – શ્રી રામસુખદાસજી દ્વારા ભગવદ્ ગીતા ટીકા
  • હિન્દી પદ્યાનુવાદ – શ્રી મુક્તાનંદ સ્વામી ભગવદ ગીતા ભાષા ટીકા
347
Created on By
shikshanjagat
Geeta Jayanti Quiz

ગીતા જયંતિ Quiz

શું તમે ક્યારેય પવિત્ર ગ્રંથ ભગવદ ગીતા વાંચી છે? જો હા, તો આનાથી તમારું જ્ઞાન તપાસો, 'ભગવદ ગીતા પ્રશ્નોત્તરી સાથે જવાબો. શ્રીમદ ભગવદ્ ગીતા, જે ગીતા તરીકે જાણીતી છે, તે ધર્મગ્રંથ છે અને મહાકાવ્ય મહાભારતનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ક્વિઝમાં તેના વિવિધ પ્રકરણોને લગતા કેટલાક મૂળભૂત પ્રશ્નોનો સમાવેશ થાય છે. શું તમને લાગે છે કે તમે અહીં સારો સ્કોર કરી શકો છો? તેને ઉપાડો અને જુઓ કે તમારી યાદશક્તિ કેટલી તેજ છે. શુભેચ્છાઓ, મિત્ર!

1 / 25

ભગવાન શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રમાં કોને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ?

2 / 25

વિશ્વના કયા ગ્રંથનું ૧૦૦ થી પણ વધુ ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું છે ?

3 / 25

અમુક ભાષ્યકારોએ ગીતાને ક્યા ત્રણ ભાગમાં વહેંચી છે ?

4 / 25

ગીતાના અધ્યાયોનાં નામ મહાભારતમાં આપ્યા નથી પરંતુ પાછળથી લગભગ કોણે અધ્યાયોને નામ આપ્યા છે ?

5 / 25

દુનિયાનો એક માત્ર ગ્રંથ કયો છે કે જેની જયંતિ ઊજવાય છે ?

6 / 25

ભીષ્મ પર્વમાં કેત્લાથી કેટલા સુધીના અધ્યાય શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રચલિત છે ?

7 / 25

અર્જુન અને કૃષ્ણના સંવાદો મહાભારતના કયા પર્વમાં છે ?

8 / 25

દક્ષિણ ભારતમાં ગીતા જયંતીને ___________ પણ કહે છે.

9 / 25

અર્જુન પહેલા ગીતાનું જ્ઞાન કોણે મળ્યું હતું ?

10 / 25

ગીતાનું જ્ઞાન અર્જુન ઉપરાંત અન્ય કયા બે લોકોએ સાંભળ્યું હતું ?

11 / 25

ગીતાનો ઉપદેશ ભગવાને કયા દિવસે આપ્યો હતો ?

12 / 25

શ્રીકૃષ્ણે ક્યા મેદાનમાં અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતું ?

13 / 25

ગીતા જયંતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

14 / 25

ગીતા જયંતી કઈ તિથીએ ઉજવવામાં આવે છે ?

15 / 25

લગભગ  કેટલી મિનિટમાં જ ભગવાન શ્રીકૃષ્ણે ગીતાના જ્ઞાન દ્વારા અર્જુનનો મોહભંગ કરી દીધો હતો ?

16 / 25

ભગવદ ગીતમાં કુલ કેટલા શ્લોક એવા છે જે સંજય અને ધૃતરાષ્ટ્રનો સંવાદ છે ?

17 / 25

ભગવદ ગીતામાં અર્જુને કેટલા શ્લોક દ્વારા પોતાની શંકા અને પ્રશ્નો પ્રગટ કર્યા છે ?

18 / 25

શ્રી કૃષ્ણે ૭૦૦ માંથી કેટલા શ્લોકમાં અર્જુનને જ્ઞાન આપ્યું છે ?

19 / 25

પૂરી ભગવદ્ ગીતા થોડા શ્લોકોના અપવાદ સિવાય ક્યા છંદમાં છે ?

20 / 25

ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોક છે ?

21 / 25

ભગવદ્ ગીતામાં કુલ કેટલા અધ્યાય છે ?

22 / 25

ગીતાને કેવો ગ્રંથ માનવામાં આવે છે ?

23 / 25

મૂળ ભગવદ્ ગીતા કઈ ભાષામાં રચાયેલી છે ?

24 / 25

ગીતામાં સૌથી વધુ કોણ બોલ્યા છે ?

25 / 25

હિંદુ ધર્મનો પ્રાચીન અને મુખ્ય પવિત્ર ગ્રંથ કયો છે ?

Your score is

3 thoughts on “Geeta Jayanti Quiz | Mokshada Ekadashi | Best 25 Questions About Geeta Jayanti”

Leave a Comment

error: Content is protected !!